અક્ષયકુમાર તેની પ્રોફેશનલ લાઇફની સાથે અંગત જીવનમાં તંદુરસ્તી માટે શિસ્ત અને નિયમપાલનનો આગ્રહી છે. તેણે સ્વીકાર્યું છે કે, તે તંદુરસ્ત રહેવા માટે સાંજે 6.30 વાગ્યા પછી કંઇ જ નહીં આરોગવાના નિયમનું કડક પાલન કરે છે. આ ઉપરાંત તે કોઈ પાર્ટીમાં પણ કંઇ આરોગતા નથી. તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં તેણે સ્વીકાર્યું હતું કે, લોકોની સાથે પાર્ટીમાં ગ્લાસ ભરે છે, પણ તેને એમાં મજા આવતી નથી.